
યુગપુરૂષ શ્રીમદ્ રાજચંદ્ર
ઇતિહાસના પ્રવાહની જેમ કેટલાંક ઐતિહાસિક પાત્રોની જીવનસફર પણ અણધારી રીતે જ પાટા બદલી નાખતી હોય છે. જિંદગીમાં ગજબનો પલટો આવી જાય છે. કોઇ વાર એકાદ વ્યક્તિ તે પરિવર્તન માટે નિમિત્ત બની હોય છે, પણ તવારીખના પાને તેની નોંધ ક્યારેક ફૂટનોટ તરીકે જ લેવાય છે—અને ક્યારેક તો એટલી પણ નહિ.
ગાંઘીજીની 150મી જન્મજયંતી નિમિત્તે એક પારસમણિ વ્યક્તિની કથા અહીં રજૂ કરી છે. નામ છે શ્રીમદ્ રાજચંદ્ર.