Grab the discounts and offers while the stocks last

SAFARI MAGAZINE | GUJARATI EDITION

Current issue

અંક નં. ૩૬૯ | જૂન, ૨૦૨૫

Cover story

જેહાદી આતંકખોરો અને જેહાદી સૈન્યવાળા પાકિસ્તાનમાં અણુબોમ્બનું બટન કોના હસ્તક છે?

એક જાણીતા પ્રસંગ સાથે જવાબનો આરંભ કરવાનો થાય છે, કેમ કે પાકિસ્તાનના શાસકોની મનોસ્થિતિને તે યોગ્ય પરિપ્રેક્ષમાં મૂકી તેની ગંભીરતાનો ખ્યાલ આપે છે. પાકિસ્તાન દ્વારા તાલીમ પામેલા અને જેહાદનો ભરપૂર ડોઝ પીધેલા લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકખોરોએ ડિસેમ્બર 13, 2001ના દિવસે દિલ્લીના પાર્લામેન્ટ હાઉસને નિશાન બનાવ્યું. પાંચેય જણા લાલ બત્તી ધરાવતી એમ્બેસેડર કારમાં હોવાને લીધે સિક્યોરિટીએ તેમને રોક્યા નહિ. પૂછપરછ કરવાનો પણ સવાલ ન હતો.

મોટરકારનું આગમન થયું ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ, ગૃહપ્રધાન અને ઘણા સંસદસભ્યો પાર્લામેન્ટમાં હતા. સંસદ ચાલુ ન હતી. લન્ચ માટે વિરામ પડ્યો હતો. લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકી હુમલાખોરો અને ભારતીય સિક્યોરિટી ટુકડીના જવાનો વચ્ચે સામસામા ગોળીબારો થયા, જેમાં ૯ ભારતીયોએ જાન ગુમાવ્યા. બીજી તરફ આંતકખોરો પણ જીવતા ન બચ્યા

ઘટના અત્યંત ગંભીર હતી. આંતકખોરોએ ભારતીય પ્રજાસત્તાકના હાર્દ સંસદભવન પર હુમલો કર્યો હતો. આ ગુસ્તાખી રાષ્ટ્રવાદી વડા પ્રધાન વાજપેયી માટે અસહ્ય હતી. વર્ષોથી ભારતના પડખામાં શૂળ ભોંકતી સમસ્યાનો અંત લાવી દેવા પાકિસ્તાન સાથે ‘आर पार की लड़ाई’ ખેલી નાખવાનું તેમણે નક્કી કર્યું. (आर पार की लड़ाई શબ્દો ખુદ તેમના જ હતા).

More interesting articles

ડો. જયંત નાર્લિકર

સો માંથી સો ખગોળનિષ્ણાતો બ્રહ્માંડનો જન્મ બિગ બેંગ વડે થયાનું માને છે. આ બધાના સૂરમાં સૂર ન પૂરાવનાર ડો. જયંત વિષ્ણુ નાર્લિકર છેલ્લા એકમાત્ર વિજ્ઞાની કે જેમના ગ‍ળે આખર સુધી એ વાત ઊતરી નહિ. બિગ બેંગ થિઅરીનો વિરોધ કરવા બદલ ખગોળનિષ્ણાતોના આંતરરાષ્ટ્રીય મંચ પરનું સ્થાન તેમણે ગુમાવ્યું, પણ વિચારો ન બદલ્યા. આજે Big Bang theoryને પડકારતી Steady State theory ફરી પ્રકાશમાં આવી છે, જે ૬૦ વર્ષ પહેલાં વિજ્ઞાની ફ્રેડ હોઇલના સહયોગી ડો. જયંત નાર્લિકરે પોતે રજૂ કરી હતી અને જેણે તેમની જવલંત કારકિર્દીને અધવચ્ચે કાપી નાખી હતી.

વરસાદનો પીછો કરતાં પ્રાણીપંખીઓ

ઉત્તરના ૪૦°થી ૬૦° અક્ષાંશો વચ્ચેના યુરોપમાં વસતાં ઘણાં ખરાં પક્ષીઓ શિયાળો બેસવાના થોડા દિવસો પહેલાં દક્ષિણનાં અક્ષાંશો તરફે કારણોસર જતાં રહે છેઃ (૧) શિયાળુ હિમવર્ષા અને થીજાવી દેતી ઠંડી વચ્ચે જીવન ટકાવી શકાતું નથી. (ર) શિયાળામાં ચોમેર હિમચાદર છવાયેલી હોવાને લીધે ખોરાક સુલભ હોતો નથી. આફ્રિકા, ભારતીય ઉપખંડ, દક્ષિણ અમેરિકા તેમજ અગ્નિ એશિયામાં મોસમી પડાવ નાખતાં આવાં પક્ષીઓને હૂંફાળું વાતાવરણ મળવા ઉપરાંત ત્યાં પ્રજનન બાદ તેમનાં બચ્ચાં માટે વિપુલ ખોરાક પણ મળે છે. ટૂંકમાં, ઉત્તરી અક્ષાંશોના શિયાળાએ યુરોપ, સાઇબિરિયા, કેનેડા, ગ્રીનલેન્ડ વગેરેનાં આવાસી પક્ષીઓને ઋતુપ્રવાસી બનાવ્યા છે.

ऐसी तैसी કરવા જેવા સિંધુકરાર

પાકિસ્તાન ખાતે ૧૯૫૭માં નીમાયેલા અમેરિકન રાજદૂત જેમ્સ લેંગ્લીએ વોશિંગ્ટન સરકારને નીચે મુજબનો પત્ર મોકલ્યો, જે ભારતના હિત માટે ઘાતક લેટરબોમ્બ જેવો હતો :

‘પાકિસ્તાન તેમજ ભારત બન્ને અત્યારે આર્થિક દેવાળાપણાની વધુ ને વધુ નજીક ધકેલાતા જાય છે. બન્નેની નાણાંકીય સ્થિતિ પ્રતિદિન વણસી રહી છે. આ સંજોગો જોતાં અમેરિકા ભારતને લોન આપતી વખતે નેહરુ પાકિસ્તાન જોડે સમાધાન કરે એવી પૂર્વશરત મૂકી શકે છે. સમજાવવાના પ્રયાસો નિષ્ફળ અગાઉ રહ્યા છે અને જ્યાં સુધી નેહરુને આંતરરાષ્ટ્રીય જીવનશૈલીનું ભાન ન કરાવાય ત્યાં સુધી નિષ્ફળ જ રહેવાના છે. માત્ર આર્થિક દબાણ પરિણામ આપી શકે તેમ છે.’

Notice

Due to Adobe Flash being discontinued and other technology upgrades it is no longer possible for us to provide your favorite Safari Magazine on web/desktop. In order to provide more convenience and reading pleasure we have moved the content to native mobile apps.
If you are a digital subscriber then download the mobile app and enjoy reading in the HP MobiLib Digital Pocket Library app from Harshal Publications.

Android version

iOS version

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options